Posts

Showing posts from July, 2016

Story: વસાહત

અમદાવાદ પાછા આવવા નીકળતા પહેલા માનવને ગીરમાં રહેતા માલધારીઓમાંના સૌથી વડીલ એવા રેવાબાપાને મળવાની ખુબ ઈચ્છા હતી . તપાસ કરી તો ખબર પડી કે ચોમાસાને લીધે એ દુધાળા નેસનું પોતાનું ઘર છોડીને દીકરાને ઘરે બાકોલ ગામે ગયા છે . સાસણથી પચીસેક કિલોમીટરે દુર આ ગામે પહોંચ્યા તો જોયું કે નાનકડી ટેકરીની તળેટીમાં એક જ ઢબના પથ્થરથી બનાવેલા મકાનોની હારમાળા હતી . ટેકરી ઉપર પીઠડમાનું મંદિર છે એવું દર્શાવતું એક નાનકડું પાટિયું અને એની પાસે ‘વલ્લભનગર’ લખેલું એક બીજું પાટિયું હતું . સોએક વર્ષના રેવાબાપા અને એમના ૬૫ - ૭૦ વર્ષના દીકરા સાથે ખુબ વિગતે વાત કરી તો માલધારીઓની વિષે આશ્ચર્ય પમાડે એવી બે હકીકતો સામે આવી . એક , માલધારીઓનો જંગલમાં સિંહોની સાથેનો વસવાટ સો - દોઢસો વરસ કરતા વધારે જુનો છે . જયારે જૂનાગઢમાં નવાબનું રાજ હતું ત્યારે સતત શિકારથી લગભગ ૧૫ જેટલા જ સિંહ બચેલા . તે સમયે આ માલધારીઓના પ્રયત્નોના આધારે જ નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ મુકેલો . બીજી વધુ રસપ્રદ હકીકત એ સામે આવી કે ૧૯૭૫માં જયારે ગીરનું જંગલ એક નેશનલ પાર્ક અને અભ્યારણ જાહેર થયું ત્યારે આ જ માલધારીઓને જંગલની બહાર ખસેડવામાં આવ્યા . આ ...

World population day -બેટી-બચાવો બેટી-વધાવો’થી ઉપર ઉઠીએ !!

કોઈ પણ ગામ, શહેર, જીલ્લો, રાજ્ય, કે દેશની વસ્તી વધવા કે ઘટવા પાછળ ત્રણ પ્રક્રિયાઓ કારણભૂત હોય છે. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર અથવા માઈગ્રેશન. આ ફેરફારો સામાન્ય લોકો કુટુંબના સ્તરે જ અનુભવતા હોય છે. પણ, રિસર્ચર લોકો આવા ફેરફારોને સામાજિક સ્તરે સમજવાની કોશિષ કરતા હોય છે. આવા લોકોને ડેમોગ્રાફર કે પોપ્યુલેશન સાઈન્ટીસ્ટ પણ કહેવાય. લોકોના જન્મ કે મરણથી વસ્તીમાં વધારા કે ઘટાડા સિવાય શું ફરક પડે? આવી આમ સાવ કુદરતી પ્રક્રિયા પાછળ પણ કોઈ વિજ્ઞાન હોય? એનાથી સામાજિક સ્તરે કેવા કેવા ફેરફાર આવી શકે અને એ ફેરફારોને કેવી રીતે સમજી શકાય ? આવા ફેરફારોની ખરાબ અસરને કેવી રીતે ઓછી કરી શકાય? આ વાતને થોડા રોજીંદા જીવનના દાખલાથી સમજીએ. ‘બેટી બચાઓ – બેટી વધાવો’ તો સાંભળ્યું જ હશે !! આવા કાર્યક્રમોની જરૂર કેમ પડી? કારણ કે છોકરા-છોકરીના જન્મના સરેરાશ પ્રમાણમાં સામાજિક સ્તરે ફેરફાર દેખાયો. છેલ્લા ચાર દસકાની વસ્તી ગણતરીમાં એવું જણાયું કે છોકરા કરતા છોકરીઓ ઓછી જન્મે છે. આવું કેમ થયું? અથવા, બીજા શબ્દોમાં પૂછીએ તો, ‘સામાજિક સ્તરે કોઈ સમુદાય/ધર્મ/જ્ઞાનીના લોકો કેમ એવી પસંદગી કરતા થયા કે જેનાથી બાળકીઓની સરેરાશ સંખ્યા અન...

Riding on her dreams : એક છોકરી બાઈક પર લેહ-લડાખ જઈ આવી !!

એક છોકરી બાઈક પર લેહ - લડાખ જઈ આવી. આ વાત છાપાવાળાને જણાવી તો એમણે નવ જણામાંથી એના સિવાય બીજા બે છોકરાઓની સાથે પણ વાત કરી. ત્રણ જણાના નાના ફોટા સાથે એમના અનુભવો, બીજા મોટી સાઈઝના બે ફોટા સાથે છાપામાં સ્ટોરી આવી – વિશ્વના સૌથી ઊંચા રોડ પર અમદાવાદી બાઈકર્સની ધૂમ.   પાતળી હવાની વાતો, સરકતી બાઈકના અનુભવો, સપનું સાકાર થયાની વાત. બસ! મને થયું કે આટલી મોટી સંવેદનાત્મક અનુભવની આવી સાવ ઉપરછલ્લી પ્રાસંગિક નોંધ કેવી રીતે હોઈ શકે. અને એટલે આ લેખ. આ છોકરી એટલે મેઘા વ્યાસ. કળા-કૌશલ્ય, રમત-ગમત, કે સાહસિક અભિયાનો સાથે પેઢીઓ સુધી કોઈ જ નાતો ના હોય એવા સાવ સામાન્ય પરિવારની દીકરી. એક એવા જ સામાન્ય પરિવારમાં જન્મેલા પણ અંગત રીતે રસ કેળવીને અને રસ્તો કાઢીને કલાકાર બનેલા છોકરા સાથે સામાન્ય રીતે થોડી મોટી ઉંમરે કહી શકાય એટલા મોડા પણ પસંદગીના લગ્ન કર્યા. ત્રીસેક વરસની ઉંમરે અને લગ્નના ત્રણેક વરસ પછી આ છોકરી લેહ-લડાખ બાઈક પર જઈ આવી. એકલી. એટલે કે સાથે કોઈ મિત્રો કે પરિવારની કોઈ જ વ્યક્તિ નહિ. આ પહેલા પહાડો પર બાઈક ચલાવવાનો કોઈ જ અનુભવ પણ નહિ; ફક્ત સપનું સાકાર કરવા માટે મેઘાએ આ પ્રવાસ કર્યો.   હવે એમ ...