Posts

Showing posts from May, 2016

આધ્યાત્મિક હોવું કે ધાર્મિક હોવું એ પણ શોખ જ છે.

ભારતીય સંસ્કૃતિમાં પળાતા લગબગ બધા જ ધર્મોમાં આધ્યાત્મનું આગવું અસ્તિત્વ છે. હિંદુ ધર્મમાં, ખાસ કરીને મારી આજુબાજુ પળાતા હિંદુ ધર્મમાં, ‘ધાર્મિક હોવું’ અને ‘અધ્યાત્મિક હોવું’ એ બંનેમાં ફરકને લગભગ કોઈ સ્થાન નથી. અને, આ બંનેમાંથી કંઈપણ ન હોવાની પસંદગીની તો છૂટ જ નથી. એકબાજુ ધર્મ અને આધ્યાત્મિકતા એવું શીખવે કે ઈશ્વર એક છે અને એને અલગ અલગ રસ્તેથી પામી શકાય. જયારે બીજી બાજુ ધાર્મિક કે આધ્યાત્મિક રીતે આગળ પહોચેલા લોકો પોતાની વિચારસરણીથી અલગ હોય તેવા વિચારો કે લોકોનો સહર્દય સ્વીકાર કરી શકતા નથી.   મોટાભાગના સામાન્ય લોકો માટે પણ ધાર્મિક ના હોવું કે આદ્યાત્મિક ના હોવું એ એક અઘરો વિકલ્પ હોય છે. પણ, મને લાગે છે કે Spirituality/Religion can be part of life but it certainly cannot be at the hear t of life.  આધ્યાત્મિક હોવું એ જીવનનો એક ભાગ છે. વ્યક્તિત્વનો ભાગ છે. એ એક શોખ કે કળા જેવું છે. થોડાઘણા લોકો માટે વ્યવસાય પણ છે , પણ મોટાભાગના લોકો માટે એ આનદ જેવું કૈક મેળવવાનો રસ્તો છે. કોઈ ચિત્રો દોરે , વાજિંત્રો વગાડે , ફોટા પાડે , વાંચે , લખે , નાચે..આ બધું શોખ માટે કરે. એમાં મજા પડે , એ ગમે...

આજની પેઢી

Image
અલગ અલગ રંગની બે-ત્રણ પેનો, પેન્સિલ, રબર,ફુટપટ્ટી અને હોલ-ટીકીટ વચ્ચે જગ્યા ગોતીને ગોઠવાયેલી Ansewr-sheet. સફેદ પાના પર વહેતી રહેતી પેનથી લખાતા જતાં અક્ષરો અને એ અક્ષરોને ઉપજાવતા જતા સતત દોડતા હાથ. નીચું મોઢું નાખીને માહિતી જેવા જ્ઞાનની - કે - જ્ઞાન સમજાતી માહિતીની એંસી મીનીટની ઉલટી. પોસ્ટ-ગ્રેજ્યુએશન લેવેલની પરીક્ષા પણ પહેલા ધોરણથી શરુ કરેલી પદ્ધતિ જેવી જ. આમ કેમ? અનુસ્નાતક સ્તરનો અભ્યાસ ફક્ત માહિતીની આપ-લે માટેનો ના હોય. એનો હેતુ concept સમજાવવાનો હોય. વર્ષોથી સ્થિર થઇ ગયેલા વિચારોને ઢંઢોળવાનો હોય. સવાલ ઉઠાવવાનો હોય. સહજ રીતે મળતા જવાબો સામે સવાલ ઉઠાવવાનો હોય અને સહજતાથી ના મળતા નવા જવાબો ગોતવાનો હોય. યુવાનોને પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સમાં knowledge consume કરવા તૈયાર ના કરવાના હોય. તેમને તો નવું knowledge generate કરવા તૈયાર કરવાના હોય. આ લેવલે તો નવી પેઢીને જુના પ્રશ્નોના નવા જવાબો ગોતવા અને જુના જવાબોમાંથી નવા પ્રશ્નો ગોતવા તૈયાર કરવાની હોય. આમ મૂલ્યાંકનના બહાને ૨૦ માર્કની, ૪૦ માર્કની, કે ૬૦ માર્કની ૧, ૨, કે ૩ ક્રેડીટવાળી ઉધારી systemમાં વેડફી દેવાના ના હોય. પણ સાલું કેવું થઇ રહ્યું ...